લખનઉ: નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક જનસભા કરી. અહીં તેમણે પોતાના ભાષણની શરૂઆત ભારતમાતા કી જયના નારાથી કરતા સમાજવાદી પાર્ટી (SP), કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી (BSP), તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યાં. શાહે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે ક્યારેક ક્યારે વાંચી પણ લો. વાંચવાથી ફાયદો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વાણીવિલાસ, કહ્યું-કેન્દ્ર સરકાર દેશદ્રોહી, કાશ્મીર જનારા મંત્રીઓ કાયર


અમિત શાહે કહ્યું કે "નાગરિકતા કાયદો (CAA) વિરુદ્ધ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે તેના કારણે આ દેશના મુસલમાનોની નાગરિકતા જતી રહેશે. મમતાદીદી, રાહુલબાબા, અખિલેશયાદવ ચર્ચા કરવા માટે સાર્વજનિક મંચ શોધો, અમારા સ્વતંત્ર દેવ ચર્ચા કરવા માટે તૈયાર છે. સીએએની કોઈ પણ કલમ, મુસલમાનો તો છોડો, અલ્પસંખ્યકને છોડો કોઈ પણ વ્યક્તિની નાગરિકતા લઈ શકે તો તે મને જરા બતાવી દો."


મહારાષ્ટ્રના નહીં પરંતુ મુસ્લિમ હિતો સાધવા ઉદ્ધવ સરકારની સાથે છે કોંગ્રેસ?


જેએનયુ મુદ્દે બોલ્યા શાહ
અમિત શાહે કહ્યું કે નહેરુજીએ કહ્યું હતું કે કેન્દ્રીય રાહત કોષનો ઉપયોગ શરણાર્થીઓને રાહત આપવા માટે કરવો જોઈએ. તેમને નાગરિકતા આપવા માટે જે કરવું જોઈએ તે કરવું જોઈએ. પરંતુ કોંગ્રેસ કશું કર્યું નહીં. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની અંદર દેશ વિરોધી નારા લાગ્યાં. હું જનતાને પૂછવા આવ્યો છું કે જે ભારતમાતાના એક હજાર ટુકડા કરવાની વાત કરે, તેને જેલમાં નાખવા જોઈએ કે નહીં. મોદીજીએ તેમને જેલમાં નાખ્યાં અને આ રાહુલ એન્ડ કંપની કહે છે કે આ બોલવાની સ્વતંત્રતાનો અધિકાર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...